22/01/2026
પાટીદાર સમાજના ચેન્જમેકર — શ્રી દિનેશભાઈ બી. પટેલ (દિનુમામા)
શ્રી દિનુમામા સામાજિક ક્ષેત્રે અનેક નોંધપાત્ર સેવાકાર્યો કરીને સમાજમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. વિવિધ સમાજોના સમૂહ લગ્નોત્સવોનું આયોજન કરી, તેમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. પાટીદાર, ક્ષત્રિય, રોહીત, બારીઆ, વણકર સહિતના અનેક સમાજોને એક જ મંચ પર લાવી હિંદુ વિચારધારાને આધારેળ લગ્નોત્સવ યોજાવ્યા છે, જે સામાજિક એકતા અને સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમના માતૃશ્રી સ્વ. જશોદાબાના સ્મરણાર્થે, વર્ષ ૨૦૧૪માં જશોદાબા વડીલ વિસામો વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવી. તેમાં પાદરા તાલુકા તેમજ વડોદરા જિલ્લાના ગરીબ, નિરાધાર અને અશક્ત વૃદ્ધોને આશ્રય આપી હિંદુ સંસ્કૃતિ મુજબ માતા–પિતા સમાન સેવા, પુનઃસ્થાપન અને પુનઃવસનનું કાર્ય સતત ચાલું છે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે પણ તેમણે વિશેષ સેવા કાર્યો હાથ ધર્યા છે. વિવિધ સંસ્થાઓ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પુનઃસ્થાપન હેઠળ સાધનસહાય, નોટબુક–ચોપડા વિતરણ, કપડાં, વિલચેર વગેરેનું વિતરણ કરવામાં આવે છે. અને દિવ્યાંગ વિધવા તથા નિરાધાર બહેનોને સ્વ-રોજગારી માટે જરૂરી સાધનો પ્રદાન કરીને તેમને સ્વાવલંબન તરફ દોરી રહ્યા છે.
કોરોના મહામારીના સમયમાં, પાદરા તાલુકા અને વડોદરા જિલ્લાના દુધ ઉત્પાદકોને સેનીટાઈઝર, માસ્ક વગેરેનું વિના મુલ્યે વિતરણ કર્યું. જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦૦૦ રેમડિસિવર ઇન્જેક્શન તથા સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રોને ૫૦ ઑક્સિજન કોન્સેન્ટ્રેટર અને ૧૦ વેન્ટીલેટર પણ નિશુલ્ક પૂરાં પાડ્યા. આ સાથે પાદરા તાલુકાના ગરીબ અને સ્લમ વિસ્તારોમાં અનાજ, શાકભાજી અને ફૂડ કિટ્સનું વિશાળ પ્રમાણમાં વિતરણ કરી માનવતાની અનોખી સેવા આપી.
Dineshbhai Patel Dinumama