09/11/2025
અસ્સલામુ અલૈકુમ
આથી કચ્છ જિલ્લામાં વસતાં મુસ્લિમ સમાજના ભાઈઓને જણાવતાં ખુશી થાય છે કે ઝિલઈ જમીયત એહલે હદીસ કચ્છના ઉલમાએ કિરામ અને આગેવાનોની લાંબા સમયની મહેનત બાદ ઈંતેજારનો અંત આવ્યો છે અને અખિલ કચ્છ એહલે હદીસ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી રહી છે ત્યારે આ સમિતિ દ્વારા મુસ્લિમ સમાજના હિતમાં કાર્યો કરવામાં આવશે અને આ સમિતિ સમગ્ર મુસ્લિમ સમાજ જ નહીં પરંતું રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવી નેમ સાથે સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.
અખિલ કચ્છ એહલે હદીસ હિત રક્ષક સમિતિની રચના બાદ નીચે મુજબના કાર્યો કરવામાં આવશે.
(૧) મેડીકલ ક્ષેત્રે જરૂરતમંદ દર્દીઓની મદદ કરવી.
(૨) શિક્ષણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ લાવવી.
(૩) મુસ્લિમ સમાજમાં સુલેહ, સમાધાન કરાવવા.
(૪) મુસ્લિમ સમાજના ભાઈઓને કાનૂની માર્ગદર્શન આપવું તથા કાયદાકીય લડતમાં સહકાર આપવો.
(૫) બંધારણીય અધિકારો માટે લોકશાહી ઢબે લોકોને જાગૃત કરવા.
(૬) રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવું તથા મુસ્લિમ સમાજ અને સરકારી તંત્ર વચ્ચે સેતુની ભૂમિકા ભજવવી.
(૭) મુસ્લિમ સમાજની એક્તા જાળવી રાખવા કાર્યક્રમો યોજવા અને આપસી ઈત્તેહાદ માટે સક્રિય રહેવું
આ સિવાય આદર્શ નાગરિક તરીકે સમાજ અને દેશના હિતમાં કરવાના થતાં તમામ કાર્યોમાં આ સમિતિની અગ્રણી ભૂમિકા રહેશે. *અખિલ કચ્છ એહલે હદીસ હિત રક્ષક સમિતિનો પાયો નાખવા માટે આગામી તા.૧૬ -૧૧-૨૦૨૫, રવિવારે, મસજીદે ઉસ્માન, બાપા દયાળુ નગર ભુજ મધ્યે સવારના ૧૦થી બપોરના ૧ વાગ્યા સુધી વિશાળ ઈજલાસે આમનું આયોજન કરવામાં આવ્યું છે.*
આ ઈજલાસ જમીયત એહલે હદીસ સાથે સંકળાયેલા લોકો માટે ઐતિહાસિક બનવાનો છે, જેમાં કચ્છના તમામ તાલુકા, શહેર, ગામ અને કચ્છના ખૂણે ખૂણેથી જમાઅતી ભાઈઓ હાજરી આપે તેવી વિનંતી કરીએ છીએ. આ ઐતિહાસિક ઈજલાસને સફળ બનાવવા જમાઅતના ઉલમા એ કિરામ, આગેવાનો, અને ખાસ કરીને યુવાનો સક્રિય થાય અને વધુમાં વધુ લોકો ઈજલાસમાં હાજરી આપે તે માટે મહેનત કરે જેથી આપણી આવનારી પેઢીઓ માટે કંઈક સારું કાર્ય કરવાનો હોસલો મળે. અલ્લાહ તઆલા સૌને નેક કાર્યો કરવાની તૌફીક અતા કરે... આમીન
(નોંધ - ઈજલાસ પૂરો થયા પછી બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે)